Thursday, July 30, 2015

યાકુબને ફાંસી આપી, હવે ભારે પડશે: છોટા શકીલની ચેતવણી


યાકુબને ફાંસી આપી, હવે ભારે પડશે: છોટા શકીલની ચેતવણી
નવી દિલ્હી � ૧૯૯૩ના મુંબઈ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ્સના મુખ્ય કાવતરાખોરમાંના એક અને ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના વડા સાગરિત છોટા શકીલે યાકુબ મેમણને તેણે ન કરેલા ગુના બદલ ફાંસી આપવા બદલ ગંભીર પરિણામો ભોગવવાની ભારતને ચેતવણી આપી છે. અહેવાલો અનુસાર, શકીલે યાકુબને ગઈ કાલે નાગપુર જેલમાં અપાઈ ગયેલી ફાંસીને લીગલ મર્ડર તરીકે ઓળખાવી છે અને ભારત સરકાર પર આરોપ મૂક્યો છે કે યાકુબ શરણે આવી જાય તો એનો જાન બક્ષવાના આપેલા વચનમાંથી સરકાર ફરી ગઈ છે. શકીલે કહ્યું છે કે મુંબઈના તે વિસ્ફોટો માટે યાકુબને ખોટી રીતે સજા કરવામાં આવી છે, કારણ કે એ કામ તેના ભાઈ ટાઈગર મેમણે કર્યું હતું. યાકુબ નિર્દોષ હતો. એ ધડાકાઓનો સૂત્રધાર ટાઈગર હતો. શકીલે એમ પણ કહ્યું છે કે આ તો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દાઉદ ઈબ્રાહિમ જો માફીના વચનના બદલામાં ભારત પાછો ફરે તો એના પણ યાકુબ જેવા જ હાલ થાય. યાકુબ મેમણને દાઉદ ઈબ્રાહિમ સાથે કોઈ પ્રકારના સંપર્ક હોવાના અહેવાલોને શકીલે રદિયો આપ્યો છે. શકીલે વધુમાં કહ્યું છે કે �D� કંપનીમાંથી કોઈ પણ હવે ભવિષ્યમાં ભારત સરકાર પર ફરી વિશ્વાસ નહીં કરે.
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Census 2010

Welcome

Website counter

Followers

Blog Archive

Contributors